આજે મુહૂર્ત ટ્રેડિંગનો સમય શું છે? જાણો કેટલા વાગ્યે ખુલશે શેરબજાર
દિવાળીની ચમક સાથે શેરબજાર પણ નવા વર્ષનું સ્વાગત કરવા તૈયાર છે. રોકાણકારો આતુરતાથી શુભ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર 2025ની રાહ જોઈ રહ્યા છે, જે સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતીક છે. દર વર્ષે દિવાળી પર યોજાતા આ ખાસ એક કલાકના સત્રમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે.
આ વર્ષે પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ મુહૂર્ત ટ્રેડિંગના સમયની જાહેરાત કરી છે. મુહૂર્ત ટ્રેડિંગ આજે 21 ઓક્ટોબર 2025, મંગળવારના રોજ યોજાશે, જે વિક્રમ સંવત 2082 ની શરૂઆતને દર્શાવે છે. અહીં જાણો આજે મુહૂર્ત ટ્રેડિંગનો સમય શું છે? કેટલા વાગ્યે શેરબજાર ખુલશે?
મુહૂર્ત ટ્રેડિંગ 2025 ના સમય અને સત્રો
| સત્ર | સેગમેન્ટ | સમય (IST) |
| બ્લોક ડીલ સત્ર | ઇક્વિટી | 1:15 p.m. – 1:30 p.m. |
| પ્રી-ઓપન સત્ર* | ઇક્વિટી | 1:30 p.m. – 1:45 p.m. |
| સામાન્ય બજાર | ઇક્વિટી, એફ એન્ડ ઓ, કોમોડિટીઝ, કરન્સી | 1:45 p.m. – 2:45 p.m. |
| કોલ ઓક્શન ઇલક્વિડ સત્ર* | આઇપીઓ/રિલિસ્ટેડ સિક્યોરિટીઝ | 1:30 p.m. – 2:15 p.m. |
| ક્લોઝિંગ સત્ર | બધા સેગમેન્ટ્સ | 2:45 p.m. – 3:00 p.m. |
| ટ્રેડ મોડિફિકેશન કટ-ઓફ | બધા સેગમેન્ટ્સ | 2:55 p.m. |
કોર્પોરેટ બોન્ડ્સ માટે મુહૂર્ત ટ્રેડિંગ સમય 2025 (T+1 સેટલમેન્ટ)
| માન્ય પ્રવૃત્તિઓ | પ્રારંભ સમય | સમાપ્તિ સમય |
| ટ્રેડિંગ, કન્ફર્મેશન, મોડિફિકેશન, કેન્સલેશન | 01:45 p.m. | 02:45 p.m. |
| કન્ફર્મેશન, મોડિફિકેશન, કેન્સલેશન | 02:45 p.m. | 03:00 p.m. |
| મોડિફિકેશન, કેન્સલેશન | 03:00 p.m. | 03:15 p.m. |
ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડ માટે મુહૂર્ત ટ્રેડિંગ સમય 2025
| સત્ર | સમય |
| સામાન્ય બજાર ખુલશે | 01:45 p.m. |
| સામાન્ય બજાર બંધ થસે | 02:45 p.m. |
| ટ્રેડ મોડિફિકેશન અંત સમય | 02:55 p.m. |
મુહૂર્ત ટ્રેડિંગ શું ખાસ બનાવે છે?
મુહૂર્ત ટ્રેડિંગને ખાસ બનાવનારાં ઘણા કારણો છે. ‘મુહૂર્ત’ શબ્દનો અર્થ પોતે જ ‘શુભ સમય’ થાય છે – એવો સમય જે સારા નસીબ અને સમૃદ્ધિ લાવે છે એવું માનવામાં આવે છે.
આ પરંપરાનો આરંભ બોમ્બે સ્ટોક એક્સચેન્જે (BSE) 1957માં કર્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) 1992માં આ જોડાઈ હતી. આજે, મુહૂર્ત ટ્રેડિંગ શેરબજારની સૌથી પ્રતીકાત્મક વાર્ષિક પરંપરાઓમાંની એક બની ગઈ છે.
ભલે આ ટ્રેડિંગ વિન્ડો ફક્ત એક કલાક માટે ખુલે, પરંતુ રોકાણકારો માટે આ વર્ષનો સૌથી આતુરતાથી રાહ જોવાતો ક્ષણ હોય છે. ઘણા લોકો તેને પોતાની રોકાણયાત્રાની શરૂઆત કરવા અથવા નવા રોકાણ માટે શુભ સમય માનતા હોય છે.
