ભારતીય નર્સ Nimisha Priya કેસમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં મોટો કર્યો ખુલાસો, જાણો સરકારે કેસમાં શું કહ્યું

J157

Nimisha Priya News: શુક્રવારે સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે યમનમાં હત્યાના આરોપમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી પર રોક લગાવવામાં આવી છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર. વેંકટરામણીએ ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચને જણાવ્યું હતું કે આ કેસમાં “પ્રયાસો ચાલુ છે”. તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે પ્રિયા સુરક્ષિત રીતે પરત ફરે.

કેસની આગામી સુનાવણી 14મી તારીખે

Offering All Possible Assistance In Nimisha Priya Case": India

 

બેન્ચે કહ્યું કે સરકાર દરેક શક્ય રીતે મદદ કરી રહી છે. અરજદાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે પહેલા તેણી (નર્સ) ને માફી મળવી જોઈએ. ત્યારબાદ “બ્લડ મની” નો મુદ્દો આવશે. ઉપરાંત અરજદારે કોર્ટને કહ્યું કે ફાંસી મુલતવી રાખવામાં આવી છે. હાલમાં બેન્ચે કેસની આગામી સુનાવણી માટે 14 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

સરકાર નિમિષાના કેસ પર સક્રિય રીતે કામ કરી રહી છે

નર્સ Nimisha Priyaના કેસમાં ભારત સરકાર દરેક શક્ય પ્રયાસો કરી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ આ મામલે યમન સરકારના સંપર્કમાં છે. ભારત સરકારે ગુરુવારે કહ્યું કે તે ભારતીય નર્સ નિમિષા પ્રિયાના કેસને ઉકેલવા માટે યમનના અધિકારીઓ તેમજ કેટલાક મિત્ર દેશોના સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે નિમિષા પ્રિયાને હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તેને 16 જુલાઈએ ફાંસી આપવાની હતી, પરંતુ તેને મુલતવી રાખવામાં આવી હતી. કેરળના પલક્કડ જિલ્લાના કોલેનગોડની રહેવાસી નર્સ પ્રિયાને જુલાઈ 2017માં યમનના નાગરિકની હત્યાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવી છે.