જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન, તલગાજરડા નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ

આજ રોજ નરાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના પત્નીનું નિધન થયું છે. મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવશે.
75 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા
મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાતે 1.30 વાગ્યે 75 વર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. નર્મદાબેનની તબિયત થોડા સમયથી ખરાબ હતી અને છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ પણ કરેલ હતો. તેમના પાર્થિવદેહને તલગાજરજડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે.
કથાકાર મોરારીબાપુના લગ્ન નર્મદાબેન સાથે વણોટ ગામે થયા હતા. આ તરફ આજે તેમના નિધન બાદ તેમની અંતિમવિધિ સવારે 9 વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
તલગાજરડામાં શોકની લાગણી
નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પૂજય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે.